ડાંગરાજનીતિ

ડાંગના ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં પીવાના પાણીની તીવ્ર સંકટ

લોકોની ફરિયાદ, સરકારી યોજના માત્ર કાગળ પર

ડાંગ જિલ્લાના અત્યંત આંતરિયાળ વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્ર સરહદ પરના ગવ્હાણ ગામના બારીપાડા ફળિયામાં 500ની વસ્તી પીવાના પાણીના ગંભીર સંકટ સામે જંગલી હિંસક પ્રાણીઓના ભય વચ્ચે સંઘર્ષ કરી રહી છે. ઘરઘર નળ કનેક્શન યોજના હોવા છતાં, છેલ્લા 10 વર્ષથી નળમાંથી એક ટીપું પાણી ન આવવાથી ગ્રામવાસીઓને 1.5 થી 2 કિમી દૂર કોતર પરના કૂવા પરથી પાણી ભરવા મજબૂર થઈ પડે છે.

જંગલી પ્રાણીઓનો ભય, ટેન્કરના શોષણનો દંશ

ઉનાળાની તીવ્ર તંગી દરમિયાન ગ્રામવાસીઓને જંગલમાંથી પાણી લેતી વખતે વાઘ, રીંછ જેવા હિંસક પ્રાણીઓનો ભય સતાવે છે. કેટલાક સમૃદ્ધ લોકો ટેન્કરથી 200 લિટર પાણી ₹100માં ખરીદે છે, પરંતુ ચોમાસુ ખેતી પર નિર્ભર ગરીબો માટે આ વિકલ્પ ખર્ચાળ છે. મહિમાબેન દેસાઈ જણાવે છે, “ઘરઘર નળ યોજના માત્ર કાગળ પર છે. અમે રોજ 2 કિમી ડુંગર ચડી પાણી લાવીએ છીએ.”

આંદોલનો અને ચૂંટણી બહિષ્કારની ચેતવણી પછી પણ નિષ્ક્રિય તંત્ર

ગ્રામવાસીઓએ પાણી માટે આંદોલનો અને ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી, પરંતુ સ્થાનિક પંચાયત પ્રમુખ રવિનાબેન ગાંવિતનો દાવો છે કે “અહીં કોઈ ફરિયાદ નથી મળી.” જ્યારે તાલુકા વિકાસ અધિકારી એસ.એમ. ગંવાદે જણાવ્યું કે “એક્શન પ્લાન બનાવી તપાસના આદેશ આપ્યા છે.”

નિષ્ક્રિયતા વિરુદ્ધ ગુસ્સો, ફરી આંદોલનની ચેતવણી

લોકોનો આક્રોશ વધી રહ્યો છે. તેઓ ફરી આંદોલનની ચેતવણી આપે છે. પ્રશ્ન એ છે કે જિલ્લા તંત્ર આળસ ખંખેરી તાત્કાલિક પાણી પુરવઠો સુધારશે કે નહીં. ગ્રામવાસીઓની માંગ છે: “નળમાં પાણી આપો અથવા ટેન્કર સેવા મફત કરો.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button